2. અથાણાની બરણીને કપડાથી ઢાંકો
આ એક જૂની અને કદાચ ઓછી વપરાતી ટિપ છે, જે તમારા અથાણાંને ફૂગથી બચાવવામાં ખૂબ અસરકારક છે. અથાણાની બરણીનું ઢાંકણ બાંધ્યા પછી પણ, હવામાં રહેલી ભેજ અથવા ધૂળ અંદર જઈ શકે છે. આથી બચવા માટે, એક સાફ, સૂકું કોટનનું કપડું લો અને તેને બરણીના ઢાંકણ પર ફિટ કરીને બાંધી દો.કેટલાક લોકો તેને ‘ગાંધી ટોપી’ પણ કહે છે. આ કપડાની પડ એક વધારાના ફિલ્ટર તરીકે કામ કરે છે. આ હવામાંથી આવતી ભેજને શોષી લે છે અને ધૂળને સીધા અથાણાંના સંપર્કમાં આવવાથી રોકે છે. આથી તમારા અથાણાં પર એક પ્રોટેક્ટિવ લેયર બને છે અને તે લાંબા સમય સુધી તાજું રહે છે.
3. સિંધવ મીઠું અથાણાને બચાવવામાં મદદ કરશે
અથાણાંને ખરાબ થવાથી બચાવવામાં સિંધવ મીઠું એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ માત્ર સ્વાદ માટે જ નહીં, પણ એક શક્તિશાળી નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે પણ કામ કરે છે. સિંધવ મીઠું અથાણાંમાં રહેલા ભેજને શોષી લે છે. આ માટે તમે જેટલા કિલો અથાણું બનાવી રહ્યા છો, તેનો 10-15% મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.
આ અથાણાંને એક હળવી ખટાશ આપે છે, જે તેના સ્વાદને વધારે છે અને તેને વધુ ચટપટું બનાવે છે. સિટ્રિક એસિડ નાખવાથી અથાણાંનો રંગ પણ સુધરે છે અને તેનો સ્વાદ પણ વધે છે.
આ ટિપ્સ તો છે જ કમાલની, આ સાથે તમે ધ્યાન રાખો કે અથાણાંમાં હંમેશા સાફ ચમચો નાખો. અથાણાંને ટ્રાન્સફર કરતી વખતે ક્યારેય સ્ટીલ અથવા પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરો. જો તમે જોઈ રહ્યા છો કે અથાણાંમાં તેલ ઓછું થઈ ગયું છે, તો થોડું તેલ ગરમ કરીને ઠંડું કરો અને પછી અથાણાંમાં નાખીને મિક્સ કરો.